જૂનું ઘર છોડતા

બદલી પછી સૌથી મોટી સમસ્યા;
જૂનું ઘર છોડવું ને નવું શોધવું;
નવું શહેર; નવા રસ્તા; માણસો;
બધું બદલાય એ આપણા સિવાય;
લાગણીના પડ; ખુલતા જાય જાણે;
સંવેદનાના ઘોડાપુર આવે અહીં;
પેપરવાળો; દુધવાળો; શાકવાળો;
કામવાળી; ટ્યૂશન શિક્ષક સાથે;
સમસ્ત માહોલ ખસકી જય ને;
ખાલી થતાં ઘરની દીવાલો કહે છે;
નાશવંત તો બધુંય છે અહિયાં ને;
કાયમીની શોધ ચાલું જ રહે છે.
આમ તો આ શરીરનાં ઘરમાંય તો;
કયાં કાયમી? છોડતા દર્દ નિરાળું.
– ડો.બીરેન પાઠક
કાર્યપાલક અધિકારી,
એસ એસ જી હોસ્પિટલ, વડોદરા