મહાભારતમાંથી શીખવા જેવું
✔️સંતાનો ઉપર તમારો અંકુશ નહિ હોય તો સંખ્યાબળ ગમે તેટલું હશે અંતે તમે નિ:સહાય થઈ જશો- કૌરવો
✔️તમે ગમે તેવા બલવાન હોય પણ તમે અધર્મ નો સાથ આપશો તો તમારી શક્તિ-સંપત્તી, અસ્ત્ર -શસ્ત્ર, વિધા, વરદાન નકામાં
થઈ જશે- કર્ણ
✔️સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે- અશ્વત્થામા
✔️ક્યારેય કોઈને વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે- ભીષ્મપિતા
✔️શક્તિ-સત્તાનો દુરુપયોગ સર્વનાશ નોતરે છે- દુર્યોધન
✔️અંધ (સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ, કામાન્ધ) વ્યક્તીના હાથમાં સત્તાનું સુકાન ન સોંપાવુ જોઈએ નહી તો અનર્થ થશે – ધ્રુતરાષ્ટ્ર
✔️વિધ્યા ની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો – અર્જુન
✔️બધા સમયે-બધી બાબતોમાં કપટ/કુટનીતી માં તમે સફળ નહીં થાવ- શકુનિ
✔️જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે- યુધિષ્ઠિર