મહાભારતમાંથી શીખવા જેવું

મહાભારતમાંથી શીખવા જેવું

✔️સંતાનો ઉપર તમારો અંકુશ નહિ હોય તો સંખ્યાબળ ગમે તેટલું હશે અંતે તમે નિ:સહાય થઈ જશો- કૌરવો

✔️તમે ગમે તેવા બલવાન હોય પણ તમે અધર્મ નો સાથ આપશો તો તમારી શક્તિ-સંપત્તી, અસ્ત્ર -શસ્ત્ર, વિધા, વરદાન નકામાં
થઈ જશે- કર્ણ

✔️સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે- અશ્વત્થામા

✔️ક્યારેય કોઈને વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે- ભીષ્મપિતા

✔️શક્તિ-સત્તાનો દુરુપયોગ સર્વનાશ નોતરે છે- દુર્યોધન

✔️અંધ (સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ, કામાન્ધ) વ્યક્તીના હાથમાં સત્તાનું સુકાન ન સોંપાવુ જોઈએ નહી તો અનર્થ થશે – ધ્રુતરાષ્ટ્ર

✔️વિધ્યા ની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો – અર્જુન

✔️બધા સમયે-બધી બાબતોમાં કપટ/કુટનીતી માં તમે સફળ નહીં થાવ- શકુનિ

✔️જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે- યુધિષ્ઠિર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *