Browsed by
Category: Other

Beware from Money Mule

Beware from Money Mule

What is a Money Mule?

Money Mule is a term used to describe innocent victims who are duped by fraudsters into laundering stolen/illegal money via their bank account(s). When such incidents are reported, the money mule becomes the target of police investigations, due to their involvement.

How do fraudsters operate?

1. Fraudsters contact customers via emails, chat rooms, job websites or blogs, and convince them to receive money into their bank accounts, in exchange for attractive commissions.

2. The fraudsters then transfer the illegal money into the money mule’s account.

3. The money mule is then directed to transfer the money to another money mule’s account – starting a chain that ultimately results in the money getting transferred to the fraudster’s account.

4. When such frauds are reported, the money mule becomes the target of police investigations.

[ In conjunction with ‘Cyber Jagrookta (Awareness) Diwas’ – Ministry of Home Affairs (GOI).]

Data Collection by Popular Messenger Apps

Data Collection by Popular Messenger Apps

After update in privacy and data sharing policy of Whatsapp Messenger App, many users are now concerns about their privacy and data which collects these apps.


√√ Here are list of data that collects these Apps.

(1) WhatsApp

◆ Data collected: Device ID, User ID, Advertising Data, Purchase History, Coarse Location, Phone Number, Email Address, Contacts, Product Interaction, Crash Data, Performance Data, Other Diagnostic Data, Payment Info, Customer Support, Product Interaction, Other User, Content.


(2) Facebook Messenger

◆ Data collected: Third-Party Advertising, Purchase History, Financial Info, Precise Location, Coarse Location, Physical Address, Email Address, Name, Phone Number, Other User Contact Info, Contacts, Photos or Videos, Gameplay Content, Other User Content, Search History, Browsing History, User ID, Device ID, Product Interaction, Advertising Data, Other Usage Data, Crash Data, Performance Data, Other Diagnostic Data, Other Data Types, Developer’s, Advertising or Marketing, Health, Fitness, Payment Info, Sensitive Info, Product Personalization, Credit Info, Other Financial Info, Emails or Text Messages.

(3) Telegram

◆ Data Collected: Name, Phone number, Contacts, User ID

(4) iMessage

◆ Data collected: Email address, Phone number, Search history, Device ID

(5) Signal- Private Messenger

◆ Data collected: None. “Signal” only needs your mobile number for registration but the report claims that the app doesn’t link your phone number to your identity.

હું વાઇરલ થયો!

હું વાઇરલ થયો!

જાણીતા લેખક અને વક્તા શ્રી શૈલેષ સગપરીયાએ મારા વિષે ફેસબુકમાં પોસ્ટ કરી એ થોડીવારમાં ફેસબુક અને વોટ્સએપમાં વાઇરલ થઇ ગઇ અને શુભેચ્છાઓનો અને અભિનંદનનો જાણે વરસાદ થયો.

ખૂબજ સારૂ લાગ્યુ!

આ પોસ્ટની લિંક નીચે આપેલી છે.

શ્રી શૈલેષ સગપરીયાની પારા વિષેની પોસ્ટ

આ પોસ્ટના સ્ક્રીન શોટ નીચે આપેલ છે.

સરકારી રેકોર્ડમાં જમીનના પ્રકાર

સરકારી રેકોર્ડમાં જમીનના પ્રકાર

જાણો નવી શરત – જુની શરત શું છે? આવી જમીનને લગતા વ્યવહારો કંઈ રીતે થઈ શકે, નવી શરતમાંથી જુની શરતમાં  ફેરફાર કઈ રીતે થઈ શકે ?

ખેતીની જમીન ધારણ કરતાં ખાતેદારો અલગ-અલગ સત્તાના પ્રકાર હેઠળ જમીન ધારણ કરતાં હોય છે. જેમ કે…

1. જૂની શરતની જમીન

2. નવી શરતની જમીન

3. ગણોતધારાની જમીન

4. ૭૩ એએ-આદિવાસીની જમીન

5. બિનખેતીની જમીન

A. જૂની શરતની જમીન એટલે શું ? :

સામાન્ય રીતે વર્ષોથી સ્વમાલિકી હક્કે, સ્વઉપાર્જીત કે વડીલોપાર્જીત મિલકત ધરાવનાર ખાતેદારની જમીન જૂની શરતની જમીન ગણાય છે. જેમાં સરકારશ્રીએ સીધી કે આડકતરી રીતે જમીન ધારણ કરનારને કોઈ મદદ કરેલ હોતી નથી. જૂની શરતની જમીનનું ખાતેદાર પોતાનું મન ચાહે તે રીતે તેનો વહીવટ કે ઉપયોગ કરી શકે અને કોઈ મંજૂરીની જરૂરીયાત કે આવશ્યકતા રહેતી નથી. તે પોતે પોતાની ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતર કરવા માટે અરજી કરી શકે છે. પોતાની જમીન અન્યને વેચી શકે છે / ગીરો મૂકી શકે છે.

B. નવી શરતની જમીન :

નવી અને અવિભાજ્ય શરતથી અપાયેલ સરકારી પડતર જમીનો નીચલાં વર્ગના લોકોનાં ઉત્કર્ષ સાધવા માટે (જેમ કે હરિજન, આદિવાસી કે સામાજીક રીતે પછાત વર્ગના કે ગણોતીયાઓ) તેમને અલગ-અલગ સરકારી કાયદાઓ અનુસાર ફાળવવામાં આવે છે. આ ઉપભોગતાઓને જમીન નહિવત્‌ કિંમતે કે મફત આપવામાં આવે, તેવી જમીનોને નવી શરતની જમીન કહેવાય છે. સદરહુ રીગ્રાન્ટ થયેલ જમીનોની તબદિલી, હેતુફેર કે ભાગલા પાડવા માટે સરકારની પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેતી હોય છે.

સદરહુ પ્રકારની જમીનની ૭/૧૨ના કોલમ ‘‘બીજા હક્ક’’ના ખાનામાં હક્કપત્રકની નોંધ હોય છે. તે ઉપરાંત પણ ઉપર ડાબા હાથે ખૂણામાં લાલ શાહીથી “નવી શરતની જમીન” એવી નોંધ મારેલી હોય છે.

     નવી શરત શું છે તથા જુની શરત શું છે; એ જાણ્યા બાદ હવે તે જમીનને લગતા વ્યવહારોમાં કઈ રીતે થઈ શકે એ વિશે થોડું જાણીએ.

C. નવી શરતની જમીન પટે આપવા બાબત :

સદરહુ જમીનો સામાન્ય રીતે ખરેખર ખેડૂતોને જ પટે આપી શકાય

1. ખાતેદાર લશ્કરમાં નોકરી કરતો હોય અથવા વૃદ્ધાવસ્થા અથવા શારિરીક કે માનસિક અશકિત વાળો હોય અને ખેતી કરી શકતો ન હોય તો પટેથી તે બીજાને ખેડવા આપી શકે છે.

2. જો ખાતેદાર સગીર હોય તો તે પુખ્ત ઉંમરનો થાય ત્યાં સુધી તેની જમીન પટેથી અન્યને આપી શકે છે.

3. નવી શરતની જમીન જ્યાં કોઈ સાર્વજનીક, ધાર્મિક તથા ધર્માદા સંસ્થા ધરાવતી હોય ત્યાં તે પટેથી કલેકટરશ્રીની પરવાનગીથી આપી શકાય છે. ધાર્મિક બાબતો માટે સદરહુ જમીન બક્ષિસ આપી શકાશે નહીં.

D. નવી શરતની જમીન બક્ષીસ આપવા બાબત :

નવી શરતની જમીનો પોતાના નજીકના સગાઓને બક્ષીસ આપવા કલેક્ટરશ્રી મંજૂરી આપી શકે  છે. એ શરતે કે તેઓ એ જમીન જાતે ખેડવા કબુલ હોય અને બક્ષીસ આપનારને કોઈ કાયદેસરના વારસ ન હોય અને હોય તો તેમને વાંધો ન હોય.

ખાતેદાર નવી શરતની જમીન જાહેર હેતુઓ માટે સંસ્થાને કે વ્યકિતઓને જાહેર હેતુના ઉપયોગમાં લેવા કે સખાવતના ઉપયોગમાં લેવા માટે બક્ષિસ તરીકે આપી શકે છે. ચોક્કસ ઠરાવેલા હેતુઓ સિવાય જો તેનો ઉપયોગ થશે તો સરકાર સદરહુ જમીન ખાલસા કરી શકશે અને તેનું કોઈ વળતર બન્ને પક્ષને મળી શકશે નહી.

E. નવી શરતની જમીનનો અદલા-બદલો :

નવી શરતના ખાતેદારો તેમની જમીનનો અદલો બદલો જૂની શરતની જમીન માટે કરી શકશે પરંતુ એ શરત કે અદલો-બદલો થયેલી જમીન નવી શરતની ગણાશે.

F. નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા :

નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા પાડવા માટે કલેકટરશ્રીની મંજૂરી લેવી પડે છે.

G. નવી શરતની જમીન પર લોન ધિરાણ મળી શકે ? :

1. નવી શરતની જમીન પરની લોન :

નવી શરતની જમીન પર ધિરાણ આપતી વખતે તેની કિંમત જૂની શરતની જમીનની બજાર કિંમતથી અડધી ગણાશે.

2. સહકારી જમીન અને નવી શરતની જમીન :

સહકારી મંડળીને નવી શરતની જમીન તબદિલી કરવા માટે કલેકટરશ્રી સરકારને ભલામણ કરી શકશે. મંડળીએ જમીન રાખ્યા બાદ પટેથી ખેડવા માટે સૌપ્રથમ અસલ ખાતેદારને આપશે, અને ત્યાર બાદ જ અન્ય ખેડૂત ખાતેદારને પટેથી ખેડવા આપી શકાશે.

3. નવી શરતની જમીનનુ પ્રિમિયમ :

જેને સરકારી પડતર જમીન અપાય હોય ખરેખર તેણે જાતે જ જમીન ખેડવી જોઈએ અને આ જમીનનો નિકાલ નવી અને અવિભાજ્ય શરતે જ થઈ શકે છે.

ખાસ સંજોગોમાં કે સબળ કારણો  સિવાય આવી જમીન તબદિલી માટે પરવાનગી આપવામાં આવતી નથી અને જ્યારે પરવાનગી આપવામાં આવે ત્યારે તેનું પ્રિમિયમ ભરવાનું હોય છે. હાલના પ્રવર્તમાન નિયમો અનુસાર

1. નવી શરતની જમીન ખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૨૫% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું હોય છે.

2. નવી શરતની બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૪૦% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું થાય છે.

3. જો સૌપ્રથમ ખેતીના હેતુ માટે જૂની શરતમાં અને ત્યાર બાદ અમુક વર્ષો પછી તે જ જમીન બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવામાં આવે તો ખાતેદારે બે વખત પ્રિમિયમ ભરવાનું થાય છે. પ્રથમ જંત્રીના ૨૫% લેખે અને ત્યાર બાદ જંત્રીના ૪૦% લેખે મળીને કુલ ૬૫% પ્રિમિયમ ભરવાનું થાય છે. આથી જમીનને સીઘી જ બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવું હિતાવહ છે.

H. નવી શરતની જમીનના શરતભંગ માટેના નિયમો :

1. જો ખાતેદાર પછાત વર્ગનો હોય અને આ તેની પ્રથમ ભૂલ હોય તો તેની જમીન સરકાર ખાલસા કર્યા બાદ રૂ.૧ ના નામની કબ્જા હક્કની કિંમત લઈ જમીન રીગ્રાન્ટ કરશે.

2. બીજા પછાત વર્ગની વ્યકિત નવી શરતની જમીનનો ભંગ કરશે તો તેની જમીન ખાલસા થશે અને પછી તે જમીન તે જ વ્યકિતને નવી અને અવિભાજ્ય શરતે યોગ્ય કબ્જા હક્કની કિંમત લઈને અપાશે.

3. નવી શરતની જમીનનું રૂપાંતર જૂની શરતની જમીનમાં કર્યા બાદ જે તે હેતુ માટે અરજી કરવામાં આવેલ હોય તે હેતુ જો નિયત સમય મર્યાદામાં ફળીભૂત ન થાય તો ત્રણ માસની નોટીસ આપીને કોઈ પણ જાતનું વળતર ચુકવ્યા સિવાય જમીન સરકાર હસ્તકલેવામાં / જપ્ત કરવામાં આવશે.

I. નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા બાબતે :

નવી શરતમાંથી જમીન જૂની શરતમાં ફેરવાય ત્યારે તેનો કઈ પ્રકારે ઉપયોગ થવાનો છે, તે આધારે તેની ૭/૧૨માં નોંધ થાય છે.

જો તેનો ઉપયોગ ખેતી માટે જ થવાનો હોય તો ‘‘ખેતી માટે જૂની શરત’’ અથવા ‘‘બિનખેતીના હેતુ માટે પ્રિમિયમ પાત્ર’’ એવા શબ્દો લખાયેલ હોય છે. ટૂંકમાં જ્યાં સુધી સદરહુ જમીન બિનખેતીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી સદરહુ જમીન આડકતરી રીતે નવી શરતની જ જમીન ગણાય છે કારણ કે ‘‘ખેતી માટે જૂની શરત’’ થયા પછી પણ તે ‘‘બિનખતીના હેતુ માટે પ્રિમિયમને પાત્ર’’ રહે છે.

આપે છે કોઈ

આપે છે કોઈ

કશેક અટકું છું…  તો ઈશારો આપે છે કોઈ,
કશેક ભટકું છું…. તો સાથ આપે છે કોઈ.

ઈચ્છાઓ…એક પછી એક, વધતી રહે છે.

દર વખતે ….ઠોકરખાધા પછી, હાથ આપે છે કોઈ.

આભને આંબવા…હાથ ઉઠાવું છું ક્યારેક,
તો આભને….નીચું કરી આપે છે કોઈ.,

હે ઈશ્વર…તું જે આપી શકે છે ,
ક્યાં આપી શકે છે કોઈ ?

ટ્રાફીકના નિયમો અને જીંદગી

ટ્રાફીકના નિયમો અને જીંદગી

navsari bus accident

તા.૦૫/૦૨/૨૦૧૬ના રોજ નવસારી પાસે એસ.ટી.બસની અકસ્માતની એક કરૂણ ઘટના બની. આ અકસ્માતમાં કુલ ૪૨ લોકોના મૃત્યુના સમાચાર છે. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. એ ભારતનું ભવિષ્ય હતા, તેમની આંખોમાં ઘણાબધા સપનાઓ હતા. પરંતુ, આ અકસ્માતમાં તેમની આંખો હંમેશ માટે બંધ થઇ ગઇ અને સપનાઓ સપના જ રહી ગયા. ઘણા બધા પરીવારને એમના સંતાનરૂપી દીવાનો પ્રકાશ મળતો બંધ થઇ ગયો. બાળકો તેમના માતા-પિતાની રાહ જોતા જ રહી ગયા. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે તથા પરીવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે.

પરંતુ આપ્ણે આવા અકસ્માતમાંથી કંઇ શીખવાનું નહિં? સમાચારોમાં જણાવ્યા મુજબ આ અકસ્માતનું કારણ એ હતું કે બસના ડ્રાઇવરે સામેથી રોંગ સાઇડે આવતા બાઇકને બચાવવા જતા બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ પુલની રેલિંગને તોડીને નદીમાં પડી. જેમાં ૪૨ લોકોના મૃત્યુ થયા. આ ૪૨ મૃત્યુ માટે જ્વાબદાર કોણ? અખબારમાં આ માટે ઘણા બધા કારણો બતાવેલ છે. જેમાંના મોટાભાગના હંમેશ મુજબ સરકાર દ્વારા થતી સલામતીની ઉપેક્ષાને કારણભૂત માને છે. પરંતુ, મારી દ્રષ્ટીએ આ માટે આપણી ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરવાની વૃતિ જ્વાબદાર છે. શું સરકાર દરેક રસ્તા પર, દરેક વળાંક પર અને દરેક ગલીઓમાં ધ્યાન રાખવા જાય? આપણી નાગરીક તરીકે કોઇ જ્વાબદારીજ નહિં?

ટ્રાફીકના નિયમો અને જીંદગી જીવવાના નિયમો સરખા જેવા જ છે. શોર્ટ કટ લેવો નહિં, ખોટા રસ્તે અને ખોટી (રોંગ) સાઇડમાં ચાલવું નહિં, જ્યાં બોલવાની મનાઇ હોય ત્યાં બોલવું નહિં (નો હોર્ન), જ્યાં જરૂર હોય ત્યાં બોલવું જ (હોર્ન પ્લીઝ), ઓવરટેક કરવામાં ધ્યાન રાખવું વગેરે. જો ટ્રાફીકના નિયમો પાળવામાં ઉલ્લંઘન કર્યુ તો જીંદગી જીવવાના નિયમનું ઉલ્લંઘન કર્યું એમ જ સમજવું.

હવેથી આપણે એક સપથ લઇએ કે “આપણે કોઇપણ સંજોગોમાં ટ્રાફીકના તમામ નિયમોનું પાલન કરીશું”

એક સવાલ: નવસારી જેવા અકસ્માતમાં રોંગ સાઇડમાં આવતા બાઇકના ચાલક બનવામાં તમને ખુશી થશે?

વર્તમાન અનામત પદ્ધતિની ખામીઓ અને તેનો વિકલ્પ

વર્તમાન અનામત પદ્ધતિની ખામીઓ અને તેનો વિકલ્પ

અનામત પદ્ધતિ વિષે મેં લખેલો લેખ “લેટેસ્ટ ફેક્ટસ ઇન જનરલ નોલેજ” મેગેઝીનના નવેમ્બર-2006ના અંકમાં પ્રસિદ્ધ થયો હતો. તે અહીં “શેર” કરૂં છું.

image

image

ઇદ-એ-મિલાદની સાચી ઉજવણી

ઇદ-એ-મિલાદની સાચી ઉજવણી

image

“ઇદ-એ-મિલાદ”ના દિવસને આપ સૌ જાણો છો કે હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) ના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.

અગાઉના દિવસોમાં જે રીતે આ તહેવાર ઉજવાતો હતો તેના કરતા હાલના દિવસોમાં આ તહેવાર કંઇક જુદી રીતે જ ઉજવવામાં આવે છે. અત્યારે આ તહેવારના નામે જુદા જુદા શણગાર (લાઇટીંગ, સીરીઝ, ફુલ વગરે) પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને શણગાર પાછળ ઘણાબધા માનવકલાકોનો ઉપયોગ થાય છે. સામે પક્ષે ઘણાબધા માણસો નબળી આર્થિક પરીસ્થિતિને લીધે દવા કે શિક્ષણ પાછળ ખર્ચ કરી શકતા નથી અને તેથી બિમારીમાં કણસે છે અથવા શિક્ષણ મેળવી શકતા નથી. મારા મતે આ બધો “ફીઝુલ (નિરર્થક) ખર્ચ” છે જે આપણા નબી હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) ને જરાપણ પસંદ ન હતો.

આપણા મોટા ભાગના મૌલવીઓ પણ આ વાત જાણે છે પણ તેનો “ધંધો” બંધ ન થાય તે માટે આ બધું કરવા દેવામાં આવે છે. અને કોઇ સાચી વાત કરે તો મૌલવીઓ એવું કહે છે કે “આને આપણા નબી પ્રત્યે આદર નથી અને તેમને (વહાબીની) અસર છે” (!) હકીકતમાં આપણા નબી (સ.અ.વ.) એ કે સહાબીઓએ સાથીઓએ પણ ક્યારેય જન્મદિવસની ઉજવણી કરી ન હતી.

જો આપણે ખરા અર્થમાં “ઇદ-એ-મિલાદ”ની ઉજવણી કરવી હોય તો અલ્લાહ ત્આલાએ આપણને મહંમદ પયગંબર (સ.અ.વ.) ના અનુયાયીઓ બનાવ્યા તેના માટે શુક્રિયાની બે રકાત નફિલ નમાઝ પઢવી જોઇએ, બેફામ ફીઝુલ ખર્ચ બચાવીને ગરીબોની આર્થિક મદદ કરવી જોઇએ અને માનવકલાકોને ભૌતિક વસ્તુઓના શણગાર પાછળ વેડફવાને બદલે જરૂરીયાતમંદ માણસોની સેવા કરીને તેમની જીંદગીને શણગારવી જોઇએ.

આપ સૌ ખરા અર્થમાં આ તહેવારની ઉજવણી કરશો એવી અપેક્ષા સાથે શુભેચ્છાઓ…..