12th Fail
બારમાં ધોરણમાં નાપાસ થઈને આઈપીએસ બને તે આશ્ચર્યજનક વાત છે. પરંતુ આ હકીકત છે જેને સાબિત કરી બતાવ્યું છે મુરેનાનાં એક સામાન્ય પરિવારના યુવકે જેનું નામ મનોજ શર્મા છે. મનોજ શર્મા અત્યાકે મુંબઈમાં એડિશનલ પોલીસ કમિશનર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ બુધવારે મનોજ શર્મા પર લખેલ પુસ્તકનું વિમોચન કર્યું હતું. અંગ્રેજીમાં લખવામાં આવેલી આ પુસ્તકનું નામ “12th fail” છે અને અનુરાગ પાઠકે આ પુસ્તક લખ્યું છે. અનુરાગ પાઠક 15 વર્ષો સુધી મનોજ શર્માના રૂમ પાર્ટનર હતાં. પુસ્તકમાં શર્માના વ્યક્તિતત્વની ખૂબી-ખામી અને નબળાઈ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અભ્યાસમાં ઝીરો હોવા છતાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરીને પોતાના લ્ક્ષ્યાંક સુધી પહોંચવાની જીદ. મનોજ શર્માએ નિષ્ફળતાઓને પાછળ મૂકીને સંઘર્ષ કરતા રહ્યાં અને સતત આગળ વધવાની જીદ હતી જે 12મા ધોરણમાં નાપાસ થવા હોવા છતાં આઈપીએસ બની ગયા.
લેખક અનુરાગ પાઠતના જણાવ્યા પ્રમાણે, શર્મા તેમની પુસ્તકનો હીરો છે અને તેમના પર લખવામાં આવેલી પુસ્તકનો ઉદ્દેશ્ય અભ્યાસ અને પરીક્ષાથી ડરતાવિદ્યાર્થીઓને હિંમત આપવાનો અને એક નવી આશા બતાવવાનો છે. ખાસ કરીને નિષ્ફળતાને પચાવીને કેવી રીતે તેને સફળતામાં બદલી શકાય છે તે મનોજ શર્મા પાસે શીખવાની જરૂર છે.
12મા ધોરણમાં નિષ્ફળતા જ મનોજ શર્મા માટે સફળતા બની. બન્યું એવું કે તે વર્ષે મુરેનામાં એવા (સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ)SDM આવ્યા હતા, જેમણે નકલ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો, નહીં તો મનોજ શર્મા પણ બીજા વિદ્યાર્થીઓની જેમ પાસ થઈ જતા. આવા સંજોગોમાં દરેક વિદ્યાર્થીઓને ડીએમનનેનાપસંદ કરતાં હતા પરંતુ મનોજ શર્માએ તેમના જેવું જ બનવાનું નક્કી કરી લીધું અને ત્યારબાદ તેમનો સંઘર્ષ શરૂ થયો અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે આગળ વધતા રહ્યા. પરંતુ આ તમામ બાબતો એટલી સરળ નહોતી. કેમ કે, તેમની આર્થિક સ્થિતિ નબળી હતી.
આર્થિક સમસ્યાને દૂર કરવા માટે શર્માએ પૈસાદાર લોકોના કૂતરાઓની સારસંભાળ રાખતા હતાં. લાઈબ્રેરીમાં પણ કામ કર્યું. પરંતુ તેઓ ક્યારે હિંમત ન હાર્યા. ધોરણ 12 પાસ કરીને, ડિગ્રી પ્રાપ્ત કરી અને બાદમાં માસ કોમ્યુનિકેશનમાં પીએચડી પણ કરી. સિવિસ સર્વિસની પરીક્ષામાં ત્રણ વખત નાપાસ થયા. તેઓ વર્ષ 2005માં આઈપીએસ બન્યા હતા. આજે તેઓ બધા માટે એક મિસાલ બની ગયા છે. નિષ્ફળતાઓ હોવા છતાં તેમને ક્યારે હાર નથી માની.