જીવનના સાત પગલા

જીવનના સાત પગલા

life cycle

(૧) જન્મ….

એક અણમોલ સોગાદ છે,

જે ભગવાનની ભેટ છે…..

(૨) બચપણ

મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,

જે ડુબી શક્યો તે તરી ગયો છે….

 

(૩) તરુણાવસ્થા

કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે,

મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.

તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ…

અને અનેક નવી મૂંઝવણો….

(૪) યુવાવસ્થા

બંધ આંખોનું એ આંધળુ સાહસ છે…

તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..

અને કુરબાન થવાની આશા છે.

(૫) પ્રૌઢાવસ્થા

ખુદને માટે કશુ ન વિચારતા…

બીજા માટે કરી છુટવાની ખુશી છે.

કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.

(૬) ઘડપણ  

વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,

જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે…

(૭) મરણ

જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે,

નાડીએ નાડીએ કર્મ તૂટશે,

પાપ-પૂણ્યનો મર્મ ખુલશે,

ધર્મ-કર્મનો હિસાબ થશે,

સ્વર્ગ-નરકનો માર્ગ થશે,

પોતાનાનો પ્યાર છુટશે,

અને…

સાત પગલા પુરા થશે.

માટે………

સાત પગલાની પાણી પહેલા પાળ બાંધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *