ગાંધીજીની આત્મકથાના અનુભવસિદ્ધ સુંદર સુવાક્યો

ગાંધીજીની આત્મકથાના અનુભવસિદ્ધ સુંદર સુવાક્યો

  • જ્યાં સંસ્કાર બળવાન છે ત્યાં શિખામણ બધી મિથ્યા વધારો થઈ પડે છે.
  • સેંકડો અનુભવોથી હું એ તારણ કાઢી શક્યો છું કે જેની નિષ્ઠા સાચી છે તેને પ્રભુ ઉગારી લે છે.
  • સાચું બોલનાર ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ.
  • મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણવી જોઈએ.
  • સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે.
  • મિત્રતા સરખા ગુણવાળા વચ્ચે શોભે ને નભે.
  • આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી.
  • ધર્મ એટલે આત્મભાન, આત્મજ્ઞાાન
  • હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું.
  • અપકારનો બદલો અપકાર નહિ પણ ઉપકાર જ હોઈ શકે એ વસ્તુ જિંદગીનું સૂત્ર બની ગઈ.
  • સારા કામમાં સો વિઘ્ન હોય.
  • સ્વાદનું ખરું સ્થાન જીભ નથી પણ મન છે
  • જેને રામ રાખે તેને કોણ ચાખે ?
  • સ્વાર્થ સહુને આંધળાભીત કરી મૂકે છે.
  • મારી જીભ કે કલમમાંથી વિચાર્યા વિના કે માપ્યા વિના ભાગ્યે જ કોઈ શબ્દ નીકળે છે.
  • ભગવદ્ ગીતા અમૂલ્ય ગ્રંથ છે, આજે તત્ત્વજ્ઞાાનને સારું હું તેને સર્વોત્તમ ગ્રંથ ગણું છું.
  • ત્યાગમાં ધર્મ છે, એ વાત મનને ગમી
  • મહાપુરુષો કોઈના પોશાક સામુ નથી જોતા, તેઓ તો તેના હૃદયને તપાસેછે.
  • દુનિયાના ચાલતા ઘણા નશાઓમાં તમાકુનું વ્યસન એક રીતે સહુથી ખરાબ છે.
  • તમારું જે હોય તે એવી રીતે વાપરો કે બીજાની મિલકતને નુકસાન ન પહોંચે.
  • જે વસ્તુ જાહેરમાં ન કરાય તે છૂપી રીતે કરવા મારું મન જકબૂલ ન કરતું.
  • … પણ ગરજને જ્ઞાાન ક્યાંથી હોય ?
  • મારો હું ધર્મ પૂરો સમજી ન શકું ત્યાં લગી મારે બીજા ધર્મોનો સ્વીકાર કરવાનો વિચાર ન કરવો જોઈએ.
  • સત્ય વાતને વળગી રહેતા કાયદા એની મેળે આપણી મદદમાં ગોઠવાઈ જાય છે.
  • સત્ય વજ્ર જેવું કઠણ છે, ને કમળ જેવું કોમળ છે.
  • શુદ્ધ હિસાબ વિના શુદ્ધ સત્યની રખેવાળી અસંભવિત છે.
  • તૂટયું વાસણ ગમે તેટલું મજબૂત સાંધો, છતાં એ સાંધેલું જ ગણાશે.
  • નાનું દુઃખ પણ દૂરથી જોતાં મોટું જણાય છે
  • પ્રેમ કયાં બંધનોને તોડી શકતો નથી ?
  • અમુક પ્રસંગે મનુષ્ય શું કરશે એ નિર્ણયપૂર્વક કહી જ ન શકાય.
  • વ્રત બંધન નથી, પણ સ્વતંત્રતાનું દ્વાર છે.
  • જે વસ્તુ ત્યાજ્ય છે તેનો સર્વથા ત્યાગ કરવામાં હાનિ કેમ હોઈ શકે?
  • લોકોની પાસેથી કંઈ પણ કામ કરાવવું હોય તો ધીરજ રાખવી જોઈએ.
  • જાહેર સેવકને અંગત ભેટો ન હોય એવા અભિપ્રાય પર હું આવેલો છું.
  • કરણી તેવી ભરણી, કર્મને મિથ્યા કોણ કરનારું છે ?
  • આહાર તેવો ઓડકાર માણસ જેવું ખાય છે તેવો થાય છે.
  • સારાં કામ પ્રત્યે આદર અને નઠારા પ્રત્યે તિરસ્કાર હોવો જ જોઈએ.
  • બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.
  • ઉપવાસમાં વાસના અને સ્વાદની જીતવાની ભાવના ન હોય તો જ તેનું શુભ ફળ મળે.
  • શુદ્ધ સત્યની શોધ કરવી એટલે રાગદ્વેષાદિ સર્વથી મુક્તિ મેળવવી.
  • કોઈ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઈ શકે
  • ઊંઘતાને જગાડી શકાય જાગતો ઊંઘે એના કાનમાં ઢોલ વગાડો તો ય ન સાંભળે
  • સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું.
  • આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન સધાય.
  • અહિંસા એ નમ્રતાની પરાકાષ્ટા છે.
  • આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ
  • સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે (પ્રસ્તાવના)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *